રસી માટેનો કોઈકનો આ સરસ લેખ ખાસ વાંચો અને વંચાવો.
💥 *કોઈ પણ રસીના ઉત્પાદક પાસે આઠ સવાલોના જવાબો માગવા જોઈએ❗વિશ્વમાં કોરોના વાયરસનો કોપ દિવસે દિવસે નબળો પડી રહ્યો છે, પણ રસી બનાવનારી કંપનીઓની ઉતાવળ વધી રહી છે. તેમને ડર છે કે જો તેમની રસી બજારમાં આવતા વિલંબ થઈ જશે તો કોરોના વિદાય લઈ ચૂક્યો હશે , તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા દિલ્હીમાં સિરમ સર્વે કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે દિલ્હીના આશરે ૫૦ લાખ નાગરિકોના શરીરમાં કોરોના વાયરસ પ્રવેશી ચૂક્યો છે અને તેઓ કોઈ પણ જાતની દવા કે રસી વગર સાજા પણ થઈ ચૂક્યા છે. તેમનામાં કુદરતી રીતે ઇમ્યુનિટી આવી ગઈ હોવાથી તેમને હવે રસીની કોઈ જરૂર નહીં પડે❗હકીકતમાં દિલ્હી શહેર હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધી રહ્યું છે. ભારતનાં બીજાં મોટા ભાગના શહેરોમાં પણ લગભગ આવી જ હાલત છે.....
💥 *ડિસેમ્બર - જાન્યુઆરી મહિનામાં કોવિદ-૧૯ની રસી બજારમાં આવશે ત્યારે કદાચ ભારતના ૧૪૦ કરોડ લોકો કુદરતી રીતે સાજા થઈ ગયા હશે તો કોઈને રસીની જરૂર જ નહીં પડે❗ આ કારણે રસીના ઉત્પાદકો રસી બજારમાં લાવવા ઉતાવળા થઈ રહ્યા છે, કોઈ પણ રોગની રસી લેતા પહેલાં તેના ઉત્પાદકને નીચે મુજબના આઠ સવાલો અચૂક પૂછવા જોઈએ :
❓*પહેલો સવાલ એ પૂછવો જોઈએ કે ‘‘રસી લેવાથી મને કોવિદ-૧૯ નહીં જ થાય તેની કોઈ ગેરન્ટી છે ખરી*
🇮🇳 ભારતમાં કોવિદ-૧૯ની રસી બનાવી રહેલી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અદર પૂનાવાલા કહે છે કે ‘‘દુનિયાની કોઈ પણ રસી ૭૦થી ૮૦ ટકા જેટલી જ અસરકારક હોય છે, જે દસ માણસો રસી લેશે તેમાંના બેથી ત્રણ માણસો કોવિદ-૧૯નો ભોગ બની શકે છે.’’ આ હિસાબે જો ભારતના ૧૪૦ કરોડ નાગરિકો રસી લે તો પણ તેમાંના ૨૮થી ૪૨ કરોડ નાગરિકો કોવિદ-૧૯નો ભોગ બની શકે છે. જો આપણો નંબર પણ તે ૨૮થી ૪૨ કરોડમાં આવવાનો હોય તો શા માટે રસી લેવી જોઈએ❓ કારણ કે રસી લેવામાં પણ અનેક પ્રકારનાં જોખમો રહેલાં છે.
♨️ *જો રસી લેવાથી કોરોના નહીં થાય તેવી ગેરન્ટી ન મળતી હોય તો રસી લેવાની કોઈ જરૂર નથી.*
❓ *રસીના ઉત્પાદકને બીજો સવાલ એ પૂછવો જોઈએ કે રસી લેવાથી મારું મરણ નહીં થાય કે મને કોઈ બીજી બીમારી નહીં થાય તેની કોઈ ગેરન્ટી છે ખરી*
💥 કોઈ રસી ઉત્પાદક આવી ગેરન્ટી આપવા તૈયાર નહીં થાય,તમને રસી આપનારા ડોક્ટરને કે હેલ્થ વર્કરને પણ સવાલ કરવો જોઈએ કે આ રસી લેવાથી મને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય, તેવી ગેરન્ટી તમે આપો છો ખરા❓દુનિયાનો કોઈ ડોક્ટર કે હેલ્થ વર્કર તેવી ગેરન્ટી નહીં આપે, કારણ કે તેને ખબર છે કે રસીથી મોત પણ થઈ શકે છે , અમેરિકાનાં બાળકો એમ એમ આર ની વેક્સિન લીધા પછી ઓટિઝમનો ભોગ બન્યા હોવાની શંકા સેવાઈ રહી છે... 💥 ૧૯૯૨માં અમેરિકામાં દર ૧૫૦ બાળકે એક બાળક ઓટિઝમનો ભોગ બનતું હતું. ૨૦૦૪માં દર ૬૮ બાળકે એક બાળક ઓટિઝમનો ભોગ બનવા લાગ્યું હતું,ભારતમાં તો એમ એમ આર ની વેક્સિન લેવાને કારણે કેટલાંક બાળકોનાં મરણ પણ થયાં હતાં❗ ભારતમાં પોલિયોની રસી લેવાને કારણે ૨૦૦૪ અને ૨૦૧૪ વચ્ચે આશરે ૪.૯૦ લાખ બાળકો પક્ષઘાતનો ભોગ બન્યા હતા...
❓*રસીના ઉત્પાદકને ત્રીજો સવાલ એ પૂછવો જોઈએ કે "જો રસી લેવાથી દર્દીનું મોત થાય કે તેને કોઈ ઇજા થાય તો તે બદલ વળતર મળશે ખરું"*
💥 અમેરિકામાં રસી લેવાથી કોઈ પણ જાતની ઇજા થાય તો તેનું વળતર મેળવવા માટે ખાસ કોર્ટની રચના કરવામાં આવી છે,૧૯૮૬માં અમેરિકામાં ઘડાયેલા કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિનું રસી લેવાને કારણે મોત થાય કે નુકસાન થાય તો તે રસી બનાવતી કંપની સામે વળતરનો દાવો કરી શકતો નથી. તે માટે સરકાર પોતે વેક્સિન ઇન્જરી કોમ્પેન્સેશન પ્રોગ્રામ ચલાવે છે , મતલબ કે રસીથી થયેલા નુકસાનમાં વળતર આપવાની જવાબદારી અમેરિકાની સરકારે સ્વીકારી છે...
💥 *૨૦૧૯ના ઓક્ટોબર સુધી સરકારે વેક્સિનનો ભોગ બનેલા નાગરિકોને ૪.૨ અબજ ડોલરનું વળતર ચૂકવ્યું હતું,વેક્સિનનો ભોગ બનેલા દરેક ૩,૦૩૨ નાગરિકોને સરેરાશ ૫.૭૪ લાખ ડોલર (૪.૩૦ કરોડરૂપિયા) નું વળતર ચૂકવવામાં આવ્યું હતું.*
💥 ભારતમાં રસી લેવાથી થતા મોત કે નુકસાન સામે વળતર અપાવતો જોઈ કાયદો ઘડાયો નથી...
❓ *રસીના ઉત્પાદકને ચોથો સવાલ એ પૂછવો જોઈએ કે રસીમાં કોઈ પશુના લોહી, માંસ, પ્લાઝમા વગેરેનો ઉપયોગ તો કરવામાં નથી આવ્યો ને❓ જો રસી ઉત્પાદક ઇમાનદાર હશે તો તેણે આ સવાલનો જવાબ ‘હા’ માં જ આપવો પડશે.*
💥 દુનિયાની કોઈ રસી પશુના લોહી વગર બનતી નથી. કોઈ રસી વાંદરાના લોહીમાં બને છે તો કોઈ ઘોડાના લોહીથી બનાવવામાં આવે છે, રસી બનાવવા માટે જે પ્રાણીના લોહીનો ઉપયોગ કરવામાં આવે છે તેને પાંજરામાં રાખવામાં આવે છે અને રીબાવી રીબાવીને મારી નાખવામાં આવે છે.
💥 એમ એમ આર ની રસી બનાવવા માટે તો ગર્ભપાત કરવામાં આવેલા ભૃણનો ઉપયોગ કરવામાં આવે છે.
💥 કોરોનાની રસી બનાવવા માટે વાછરડાનું લોહી વાપરવામાં આવશે, તેવા દસ્તાવેજી પુરાવા બહાર આવ્યા છે , જે શાકાહારી પ્રજા પોતાના ભોજનમાં ભૂલેચૂકે પણ પ્રાણીનું માંસ ન આવી જાય તેની કાળજી રાખે છે, તેણે આ રસી શા માટે લેવી જોઈએ? નથી
❓ *રસીના ઉત્પાદકને પાંચમો સવાલ એ પૂછવો જોઈએ કે રસી બનાવવા માટે કોઈ પ્રાણીઓ પર પ્રયોગો તો નથી કરવામાં આવ્યા ને?*
✅ તેનો જવાબ એ છે કે કોઈ પણ રસીનું પરીક્ષણ પહેલાં પ્રાણી પર કરવામાં આવે છે. ત્યાર બાદ જ મનુષ્યો પર તેનું પરીક્ષણ થઈ શકે છે, વર્તમાનમાં દુનિયામાં કોવિદ-૧૯ની જેટલી રસી તૈયાર થઈ રહી છે, તેમાં પ્રાણીઓ પર પ્રયોગો ચાલી જ રહ્યા છે. આ પ્રાણીઓમાં વાંદરા, સસલાં, ઉંદર, ગિની પિગ વગેરેનો સમાવેશ થાય છે.*શકાયો પ્રાણીના શરીરમાં વાયરસ દાખલ કર્યા પછી કામ પતી જાય એટલે તેનો ચેપ બીજાને ન લાગે તે માટે તેને મારી નાખવામાં આવે છે.
❓ *રસીના ઉત્પાદકને છઠ્ઠો સવાલ એ પૂછવો જોઈએ કે રસીમાં મારા આરોગ્યને હાનિ થાય તેવા કોઈ પદાર્થો તો વાપરવામાં નથી આવ્યા ને?*
✅ તેના જવાબમાં તેણે જણાવવું પડશે કે રસીમાં પારો, એલ્યુમિનિયમ, ફોર્મલડિહાઇડ, ફોર્મલિન વગેરે હાનિકારક પદાર્થો વાપરવામાં આવ્યા છે ,જો કોઈ રસીમાં આરોગ્યને નુકસાન કરનારા પદાર્થો વપરાતા હોય તો તે રસી શા માટે લેવી જોઈએ?
❓ *રસીના ઉત્પાદકને સાતમો સવાલ એ પૂછવો જોઈએ કે શું મારા માટે રસી લેવી ફરજિયાત છે?*
💥 દુનિયાના કોઈ પણ દેશમાં ફરજિયાત રસી લેવાના કાયદા નથી, જો આપણી સંમતિ ન હોય તો દુનિયાની કોઈ સરકાર આપણને પરાણે રસી આપી શકતી નથી.*
💥 આપણે રસી લેવી કે ન લેવી? તે આપણી વૈયક્તિક સ્વતંત્રતાનો ભાગ છે. માટે રસી લેવાનો ઇનકાર કરતા ગભરાવું નહીં.
❓ *રસીના ઉત્પાદકને આઠમો સવાલ એ પૂછવો કે રસી લીધા વિના વાયરસ સામે લડવાનો કોઈ ઉપાય નથી?*
🔥 કદાચ રસીના ઉત્પાદકો તે સવાલનો સાચો જવાબ નહીં આપે❗ કારણ કે તેમણે રસી વેચીને કમાણી કરવી છે; પરંતુ તેનો સાચો જવાબ એ છે કે જો આયુર્વેદિક ઔષધિઓ દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવે તો દુનિયાના કોઈ પણ વાયરસ સામે લડી શકાય છે. જો તદ્દન નિર્દોષ અને ઘરેલુ ઉપચારો, નવી ભોજન પ્રથા દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાતી હોય તો પ્રાણીઓના લોહીથી બનેલી હાનિકારક રસી લઈને શા માટે આપણી જિંદગીને જોખમમાં નાખવી જોઈએ?*